કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી
કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી
ભારતીય કાપડ ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવા માટે, કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી કપાસ પર આયાત ડ્યુટીમાં કામચલાઉ મુક્તિ આપી હતી. નિકાસકારોને વધુ ટેકો આપવા માટે, કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્તિ (HS 5201) 30 સપ્ટેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
આ અંગેની સૂચના ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.